1 પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું:
2 “હું જે કહું તે ધ્યાનથી સાંભળો
3 મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી કરજો.
4 “શું મારી ફરિયાદ માણસ સામે છે?
5 મારી દશા તો જુઓ! અને આઘાત પામજો મહેરબાની કરીને
6 હું યાદ કરું છું ત્યારે ગભરાઇ જાઉં છું.
7 શા માટે દુષ્ટ માણસો લાંબુ જીવે છે?
8 દુષ્ટ લોકો તેમના સંતાનોને મોટાં થતા જુએ છે.
9 એમનાં ઘર સુરક્ષિત હોય છે, તેઓ ડરતા નથી તેઓને સજા
10 તેઓના બળદો જાતીય સંબધ બાંધવામાં કદી નિષ્ફળ જતા નથી.
11 દુષ્ટ લોકો તેઓના સંતાનોને ઘેટાંના બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે.
12 તેઓ નાચગાનમાં પોતાનો સમય પસાર કરે છે, તેઓ વાંસળી, સારંગી અને ખંજરીના તાલે ગાય છે અને ઝૂમે છે.
13 દુષ્ટ લોકો તેઓના જીવન દરમ્યાન સફળ થવાનો આનંદ માણે છે.
14 તો પણ દુષ્ટ લોકો દેવને કહે છે, ‘અમને એકલા મૂકી દો’
15 તેઓ કહે છે, ‘સર્વસમર્થ દેવ કોણ છે?
16 “એ સાચું છે કે દુષ્ટ લોકો પોતાની જાતે સફળ થયા નથી.
17 પણ કેટલીવાર દેવ અવારનવાર
18 આપણે એને કેટલીવાર હવામાં ખરસલાંની જેમ ઊડી જતો જોયો છે?
19 તમે કહેશો, ‘દેવ તેઓના પાપની સજા તેઓના સંતાનોને કરે છે.’
20 પાપીને પોતાની સજા જોવા દો.
21 જ્યારે દુષ્ટ માણસના જીવનનો અંત આવે છે, અને તે મરી જાય છે,
22 “માણસ શું દેવને પાઠ ભણાવી શકશે?
23 કોઇ માણસ મરી જાય છે ત્યાં સુધી તંદુરસ્ત રહે છે
24 તેના શરીરને સારું પોષણ મળ્યું હતું
25 પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે,
26 પણ માટીમાં તો એ બંને એક સાથે મળી જાય છે
27 “જુઓ, તમારા વિચારો હું જાણું છું
28 તમે કહો છો, ‘એ મહાશયનું ઘર ક્યાં છે?
29 “શું તમે રસ્તે જનારાઓને પૂછયું?
30 ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે.
31 તેણે જે દુષ્કમોર્ કર્યા તે માટે તેને કોઇ જાહેરમાં ઠપકો આપી શકતું નથી.
32 ઊલટું તેની કબરનુ રક્ષણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
33 એની કબરમાં માટી પણ એની આસપાસ નરમાશથી પથરાઇ જાય છે.
34 “અને તમે! શા માટે મને ખોટા આશ્વાસન આપો છો?