1 ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો:
2 “આટલા બધા શબ્દો નિરૂત્તર રહેશે?
3 શું તું વિચારે છે કે વાતો કરીને તું બીજા માણસોને ચૂપ કરી દઇશ?
4 કારણકે તું કહે છ કે,
5 હું ઇચ્છું છું કે, દેવ બોલશે
6 દેવ તને ડહાપણના રહસ્યો વિષે કહેશે.
7 “અયૂબ, શું તું ખરેખર માને છે કે તું દેવને સમજે છે?
8 તું સ્વર્ગની બાબત કાંઇ કરી શકશે નહિ.
9 તેનું માપ પૃથ્વી કરતાં પણ મહાન
10 “તે ધસી જઇને કોઇની પણ ધરપકડ કરે;
11 સાચે જ દેવ જાણે છે કોણ નિરર્થક છે.
12 પણ મૂર્ખ માણસને તે બુદ્ધિમાન કરે છે,
13 પણ તારે તારા હૃદયને માત્ર દેવની સેવા કરવા માટે જ તૈયાર કરવું જોઇએ
14 જો તારા હાથ પાપથી ભરેલા હોય તો તેને સ્વચ્છ કરી નાખ!
15 પછી તું દેવ સામે શરમાયા વગર જોઇ શકશે
16 વહી ગયેલા પાણીની જેમ તું તારું દુ:ખ ભૂલી જઇશ.
17 તારું જીવન મધ્યાનના સૂર્યથી પણ વધુ ઊજળું થશે.
18 પછી તું સુરક્ષા અનુભવીશ કારણકે ત્યાં આશા છે.
19 તું નિરાંતે સૂઇ શકશે અને તને કોઇ હેરાન કરશે નહિ.
20 દુષ્ટ લોકો કદાચ મદદ માગશે,