1 એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો કે,
2 “અયૂબ, તું ક્યાં સુધી આમ શબ્દોને પકડવા જાળ ફેલાવ્યા કરીશ?
3 તમે અમને શા માટે ઢોર જેવા ગણો છો?
4 અયૂબ, તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે.
5 “હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યું જશે.
6 તેના પ્રકાશિત ઘરમાઁ અંધારૂ થશે.
7 તેનાં મજબૂત પગલાં નબળાં પડી જશે.
8 તે ફાસલામાં ચાલે છે;
9 ફાસલો તેના પગની પાની પકડી લે છે,
10 જમીન પર જાળ સંતાઇને પડી હશે,
11 એની ચારેકોર ભય તેની પર ત્રાટકવા ટાંપી રહ્યાં છે.
12 ભૂખથી તેનું બળ ક્ષીણ થઇ જશે.
13 ભયંકર બિમારીઓ તેની ચામડીને કોરી ખાશે.
14 એ જે ઘરમાં નિરાંતે જીવે છે એમાંથી એને બહાર ખેંચી કાઢવામાં આવે છે
15 જેઓ તેનાં નથી તેઓ તેના ઘરમાં વસશે;
16 તેની નીચેથી મૂળીયાં સડી જાય છે,
17 આ દુનિયામાં તેનું નામનિશાન રહેશે નહિ.
18 પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે
19 તેને કોઇ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ.
20 પશ્ચિમના લોકો દિગમૂઢ થઇ જશે જ્યારે તેઓ સાંભળશે કે તે દુષ્ટ માણસને શું થયું.
21 દુષ્ટ લોકોના ઘરને ખરેખર આમ થશે,