1 પછી અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો:
2 “અયૂબ જો તું ખરેખર બુદ્ધિમાન હોત તો
3 તને એવું લાગે છે કે શાણો માણસ નકામા શબ્દો
4 અયૂબ, જો તારી પાસે તારા પોતાના રસ્તા હોત તો
5 તું જે વાતો કરે છે તે તારા પાપો બતાવે છે. અયૂબ,
6 હું નહિ, તારા શબ્દો જ તને દોષિત ઠરાવે છે,
7 “તું જ પહેલવહેલો જન્મ્યો છે એમ તું માને છે?
8 દેવની ગુપ્ત યોજનાઓ વિષે તમે સાંભળ્યું છે ખરું?
9 અમારી પાસે ન હોય એવું ક્યું જ્ઞાન તારી પાસે છે?
10 જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉમરનાં છે
11 દેવ તને આશ્વાસન આપવાની કોશિષ કરે છે, પણ એ તારા માટે પૂરતું નથી.
12 તું શા માટે ઉશ્કેરાઇ જાય છે?
13 તું તારો ગુસ્સો દેવની ઉપર કેમ ઠાલવો છો?
14 “શું માણસ પવિત્ર હોઇ શકે?
15 જો, તે પોતાનાં સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી.
16 મનુષ્ય તો અધમમાં અધમ છે.
17 “હું કહું તે સાંભળો; અને હું તો મેં જે જોયું છે,
18 આવા જ અનુભવો જ્ઞાની માણસોને થયેલા છે.
19 એકલા આપણા પિતૃઓનેજ તેઓની પોતાની ભૂમિ આપવામાં આવી હતી.
20 એક દુષ્ટ માણસ તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે.
21 દરેક અવાજ તેને ડરાવે છે. જે સમયે તે વિચારે છે કે તે સુરક્ષિત છે
22 અંધકારમાંથી છટકવાની એને કોઇ આશા નથી.
23 તે ખોરાક માટે ભટકે છે પરંતુ તે ક્યાં મેળવે છે?
24 સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે;
25 તેણે દેવની સામે પોતાની મુઠ્ઠી ઉગામી છે
26 તે દુષ્ટ વ્યકિત બહુ દુરાગ્રહી છે.
27 એ દુષ્ટ માણસ છકી ગયેલો, પુષ્ટ અને ધનવાન છે.
28 પરંતુ તેના નગરો ખંડેર બની જશે,
29 તે ધનવાન નહિ રહે એની સમૃદ્ધિ ટકશે નહિ.
30 દુષ્ટ માણસ અંધકારમાંથી બચશે નહિ,
31 દુષ્ટ માણસે નિરર્થક બાબતોમાં વિશ્વાસ કરીને પોતાને મૂર્ખ બનાવવો જોઇએ નહિ.
32 દુષ્ટ માણસ તેના જીવનનો અંત આવે
33 તે જેની કાચી દ્રાક્ષ ખરી પડે એવા દ્રાક્ષના વેલા જેવો,
34 કારણકે દેવ વિનાના લોકો પાસે કાઇ હોતું નથી.
35 દુષ્ટ લોકો હમેશા હેરાન કરવા માટે દુષ્ટ યોજનાઓ બનાવે છે.